Saturday, April 26, 2025
Advertise here
HomeNewsGujaratગુજરાત પોલીસના ઇતિહાસના સૌથી મોટા તોડકાંડનો ખુલાસો કરતાં જૂનાગઢ રેન્જ DIG નિલેશ...

ગુજરાત પોલીસના ઇતિહાસના સૌથી મોટા તોડકાંડનો ખુલાસો કરતાં જૂનાગઢ રેન્જ DIG નિલેશ જાજડિયા

ગુજરાત પોલીસના ઇતિહાસના સૌથી મોટા તોડકાંડનો ખુલાસો કરતાં જૂનાગઢ રેન્જ DIG નિલેશ જાજડિયા

જૂનાગઢ રેન્જના કર્તવ્યનિષ્ઠ અને પ્રામાણિક DIG જાજડીયા પણ ચોકી ગયા 

ગુજરાત પોલીસને લાંછન લગાડનાર પોલીસ કર્મીઓને છાવરવાને બદલે ફરજનિષ્ઠ અધિકારીએ કડક કાર્યવાહી કરી

જૂનાગઢ SOG પોલીસના અધિકારીઓએ સાયબર માફિયાઓને શરમાવે તેવું કરોડોનું કાંડ કેવી રીતે કર્યું?

આંતરરાષ્ટ્રીય અને હાઈ પ્રોફાઈલ સાયબર હેકિંગનો ગુનો હોવાથી તાપસ ATS અમદાવાદને આપવામાં આવી

https://www.youtube.com/watch?v=ByhDT7VVCuE
એક CPI,એક PI, એક ASI અને એક અજાણ્યા સામે પોલીસે ગુનો દાખલ કર્યો, તમામ આરોપીઓ ફરાર

દૂરબીન મીડિયા – જૂનાગઢ, તા.૨૬ જાન્યુઆરી
પ્રજાનું રક્ષણ અને સુરક્ષા માટે કામ કરતા પોલીસ વિભાગમાં અનેક કર્તવ્યનિષ્ઠ અને પ્રામાણિક અધિકારીઓ હોય છે પરંતુ કેટલાંક ભ્રષ્ટ અધિકારી-કર્મચારીઓના કારણે સમગ્ર ગુજરાત પોલીસ દળની છબી ખરડાય છે. આ માટે જો કોઈ જવાબદાર હોય તો તે છે સિનિયર IPS અધિકારીઓ. છેલ્લાં કેટલાંક વર્ષોથી પોલીસ વિભાગમાં ચાલતી મોડસ ઓપરેન્ડી થી સિનિયર IPS અધિકારીઓ સંપૂર્ણ રીતે વાકેફ છે અને તેનો હિસ્સો કેટલાંક લાલચુ IPS અધિકારીઓ પાસે પણ પહોંચે છે. તાજેતરમાં થયેલા 20 કરોડ રૂપિયાના તોડકાંડમાં એક બદનામ પોલીસ ઈન્સ્પેક્ટરનું નામ સામે આવ્યું છે. જો, કે, જૂનાગઢ રેન્જના કર્તવ્યનિષ્ઠ અને પ્રામાણિક DIG નિલેશ જાજડીયાની સતર્કતાના કારણે સમગ્ર કાંડ પર્દાફાશ કરવામાં આવ્યો છે, શું છે સમગ્ર હક્કિત….

એક CPI, એક PI અને એક ASI એ મળીને કેવો ખેલ્યો ખેલ?
ગુજરાત પોલીસમાં અનેક ભ્રષ્ટ અધિકારીઓ વર્ષોથી રીતસરની લૂંટનો પરવાનો ધરાવતા હોય તેમ વર્તી રહ્યાં છે. તેવા અધિકારીઓની યાદીની શરૂઆતમાં આવતા નામોમાં જો કોઈ નામ આવી શકે તેમ હોય તો તે છે પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટ, ફરજકાળ દરમિયાન અનેક કાંડ કરી ચૂકેલાં પીઆઈ તરલ આર. ભટ્ટ અને તેમની પડખે ચઢેલાં જુનાગઢ સાયબર ક્રાઈમ સેલ ના પીઆઈ એ. એમ. ગોહિલ અને એએસઆઈ દિપક જાની એ એક કાંડ રચ્યો. તરલ ભટ્ટએ આપેલી 335 થી વધુ જુદાજુદા બેંક એકાઉન્ટની માહિતીના આધારે સાયબર ક્રાઈમ સેલના પીઆઈ એ. એમ. ગોહિલે CRPC 91 અને CRPC 102 હેઠળ નોટિસ કાઢી તમામ બેંક એકાઉન્ટ સ્થગિત કરાવી દીધા હતા. બેંક એકાઉન્ટ ફરી કાર્યરત કરવા માટે પ્રત્યેક બેંક એકાઉન્ટ ધારક પાસેથી 20-20 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ તમામ હક્કિત એક અરજદારની રજૂઆતમાં સામે આવી હતી. જુનાગઢ રેન્જ ડીઆઈજી નિલેશ જાજડીયા એ આ મામલે તપાસ સોંપતા ત્રણેય પોલીસ અધિકારીઓ અને અન્ય સામે જુનાગઢ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે. ગુજરાત પોલીસને લાંછન લગાડનાર પોલીસ કર્મીઓને છાવરવાને બદલે કાર્યવાહી કરતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.

કેવી રીતે થયો કરોડોના તોડકાંડ નો પર્દાફાશ?
કેરલાના રહેવાસી કાર્તિક ભંડારીને નવેમ્બર-2023માં માલૂમ પડ્યું કે, તેમનું HDFC બેંક સહિતના 30 એકાઉન્ટ ફ્રિઝ કરી દેવાયા છે. બેંકમાંથી મળેલી માહિતી અનુસાર તેમનું એકાઉન્ટ સ્થગિત કરવા માટે જુનાગઢ ના પીઆઈ એ. એમ. ગોહિલે સૂચના આપી હતી. કાર્તિક ભંડારીએ પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવવા માટે જૂનાગઢ સાઇબર ક્રાઇમ સેલ નો ફોનથી સંપર્ક કર્યો હતો. વારંવારં સંપર્ક કરનારા કાર્તિક ભંડારીને પોલીસ ડરાવવા લાગી હતી. જેથી તેઓ ખુદ જુનાગઢ દોડી આવ્યા હતા. જૂનાગઢ સાઇબર ક્રાઇમ સેલ ના અધિકારીઓને મળતા તેમને નિવેદન અને દસ્તાવેજોના નામે પરેશાન કરી મુક્યા અને આખરમાં ASI દિપક જગજીવનભાઈ જાનીએ વ્યવહારની વાત કરી હતી. કાર્તિક ભંડારીએ 2-3 લાખ રૂપિયા આપવાની વાત કરતાં PI એ. એમ. ગોહિલ અને ASI દિપક જાનીએ 25 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. આ રકમ આપવા માટે કાર્તિક ભંડારી તૈયાર નહીં હોવાથી તેમણે મિત્રની મદદથી જૂનાગઢ રેન્જ ડીઆઈજી નિલેશ જાજડીયાનો સંપર્ક કર્યો અને સમગ્ર હક્કિત રજૂ કરી દીધી..

જૂનાગઢ રેન્જના કર્તવ્યનિષ્ઠ અને પ્રામાણિક ડીઆઈજી નિલેશ જાજડીયા પણ ચોકી ગયા
આ કેસના ફરિયાદી એવા કેરલાના રહેવાસી કાર્તિક ભંડારી જયારે જૂનાગઢ રેન્જ ડીઆઈજી નિલેશ જાજડીયા ને મળ્યા ત્યારે સમગ્ર હકીકત જાણીને ચોકી ગયા હતા, અને કઈંક મોટા પાયે ખોટું થતું હોવાનું જણાતા રેન્જ ડીઆઈજી નિલેશ જાજડીયા એ ગુનાની ગંભીરતા જોઈને પોલીસ કર્મીઓને છાવરવાને બદલે આવા બેઈમાન પોલીસ અધિકારીઓને બેનકાબ કરીને પાઠ ભણાવવાનું નક્કી કરીને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને IG ઓફિસની રીડર શાખા ના પીઆઇ શક્તિસિંહ ગોહિલને તાપસ સોંપી હતી અને તુરંત તપાસનીશ અધિકારીએ એસઓજી પોલીસ સ્ટેશનનો કબ્જો લઈને તમામ રેકોર્ડ કબ્જે કરતા પ્રથમ દ્રષ્ટિ એજ જુનાગઢ સાયબર ક્રાઈમ સેલ ના પીઆઈ એ. એમ. ગોહિલ અને એએસઆઈ દિપક જાની એ પૈસા પડાવવા માટે સંપૂર્ણ ગેરકાયદેસર રીતે મોટું ગંભીર ષડ્યંત્ર રચ્યું હોવાનું માલુમ પડતા, વધુ તાપસ શરુ કરવામાં આવી હતી,

શા માટે કેસની તપાસ ગુજરાત ATS અમદાવાદને સોપવામાં આવી?.
જૂનાગઢ રેન્જ ડીઆઈજી નિલેશ જાજડીયાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, જુનાગઢ સાયબર ક્રાઈમ સેલ ના પીઆઈ એ. એમ. ગોહિલ અને એએસઆઈ દિપક જાની ને 335 જેટલા બેન્ક ખાતા ફ્રીઝ કરવા માટે તમામ માહિતી સીપીઆઇ તરલ ભટ્ટ એ આપી હતી, કે જે અમદાવાદમાં પીઆઇ તરીકે અગાઉ ફરજ બજાવી ચુક્યા હતા, ડીઆઈજી નિલેશ જાજડીયા એ જણાવ્યું હતું કે બેન્કની આવી ગુપ્ત અને પ્રાઇવેટ માહિતી તારણ ભટ્ટને કોને આપી છે તેમેજ બેન્ક ની સિસ્ટમને કોઈએ હેક કરી છે કે કેમ? આંતરરાષ્ટ્રીય કક્ષાનો ગુનો કરવામાં આવ્યો છે? કે કોઈ મોટું ષડયંત્ર છે, તેમજ એમાં કોણ કોણ સંડોવાયેલા છે તે અંગે ઊંડાણ પૂર્વક તાપસ કરવા માટે ગુજરાત રાજ્યના પોલીસ ડાયરેક્ટર જનરલ વિકાસ સહાયના માર્ગદર્શનમાં સમગ્ર કેસની તપાસ ATS અમદાવાદને સોપવામાં આવી છે.

સરકારે સીટની રચના કરીને વ્યાપક તાપસ કરવી જોઈએ
સામાન્ય ગુનેગાર સામે કોઈ ફરિયાદ નોંધવાની હોય તો ગુજરાત પોલીસ પહેલાં આરોપીને ઉપાડી લાવે છે અને ત્યારબાદ FIR નોંધે છે. આ ગંભીર કિસ્સામાં જુનાગઢ પોલીસે પહેલાં ફરિયાદ નોંધી અને બાદમાં આરોપીઓ શોધવાનો ખેલ શરૂ કર્યો હોવાની ચર્ચા પોલીસ બેડામાં ઉઠી છે. પીઆઈ તરલ આર. ભટ્ટ, જુનાગઢ સાયબર ક્રાઈમ સેલ ના પીઆઈ એ. એમ. ગોહિલ અને એએસઆઈ દિપક જાનીને લાભ આપવામાં કોને રસ હતો તે પણ ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે. અત્રે નોંધનીય છે કે, આ મામલામાં પીઆઈ ગોહિલ અને એએસઆઈ દિપક જાનીને તાજેતરમાં જ ફરજ મોકૂફી હેઠળ ઉતારી દેવાયા છે. પી આઈ તરલ ભટ્ટ અમદાવાદ પીસીબીમાં રહ્યાં ત્યારના કેસો બાબતે જો SIT બનાવીને તટસ્થ તપાસ કરવામાં આવે તો ઘણા કૌભાંડો બહાર આવવાની શક્યતા છે.

આરોપીઓ સામે ફરિયાદ દાખલ થાય તે પહેલા થયા ફરાર
જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જૂનાગઢ SOG અને સાયબર ક્રાઇમના તત્કાલીન પીઆઇ એ.એ. ગોહિલ, પી.આઈ. તરલ ભટ્ટ અને એ.એસ.આઈ દિપક જાની તેમજ એક અજાણી વ્યક્તિ એમ કુલ 4 વિરુદ્ધ FIR ફાઈલ કરવામાં આવી છે. જૂનાગઢમાં બેન્ક એકાઉન્ટ અને કૌભાંડ બાબતમાં સરકારે વિવાદિત પી આઈ તરલ ભટ્ટ અને મંડળી વિરુદ્ધ ગુનો દાખલ કરીને ધરપકડ કરવાની તૈયારી શરુ કરી છે. સૂત્રો પ્રમાણે હાલ તરલ ભટ્ટ અને મંડળી ભૂગર્ભમાં ઉતરી જઈને પોતાના આકાઓ સાથે મદદ માટે હાથ લંબાવી રહ્યા છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Advertise here

Most Popular

Recent Comments